જો નફરતની છે આ દુનિયા, તો દુનિયાથી નફરત છે મને,
મહોબ્બત હોય જો વાસનામાં, તો વાસનાથી મહોબ્બત છે મને...
મારી મરજી ન થવા દેવાવાળા બધાથી નફરત છે મને,
જો એમાં ખુદા છે, તો બેશક ખુદાથી પણ નફરત છે મને...
ફુરસદથી જો બની હોય દુનિયા, તો દુનિયાથી ફુરસદ છે મને,
જો હું ફક્ત જીવવા માટે જન્મ્યો છું, તો જીવનથી ફુરસદ છે મને.
ખોટા આશ્વાસનો આપી આપી જેણે મને મોત લાગી જીવાડ્યો,
જો નફરત હોય એ સબંધમાં, તો સબંધોથી નફરત છે મને..
-
ચેતન સોલંકી ‘ગુમનામ’